GK Test (ગુજરાતી લોકમેળાઓ)
ગુજરાતના લોકમેળાઓ
ü વૌઠાનો મેળો:- અમદાવાદ જિલ્લાના વૌઠા ગામ કે જ્યાં સાત નદીઓ નો સંગમ થાય છે. આ સ્થળે કાર્તિકી અગિયારસના દિવસેથી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે. આ મેળો ગધેડાની લે-વેચ માટે પ્રખ્યાત છે. ગુજરાતનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે.
ü ગોળ ગધેડાનો મેળો :- ગોળ ગધેડાનો મેળો દાહોદ જિલ્લામાં હોળી પછી પાંચમે આ મેળો ભરાય છે. આ મેળામાં આદીવાસી લોકો ઢોલ નગારા સાથે ગોળ ગધેડાના મેદાનમાં આનંદથી નાચે છે.
ü
ગળદેવનો મેળો :- દાહોદ જિલ્લાના ખંગેલા ગામના લોકો પોતાના ગળી ગયેલ બાળકના ઉપચાર માટે આ મેળામાં આવે છે.
GK Test (ગુજરાતી લોકમેળાઓ) ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કરો.👇
ü માધવપુરનો મેળો :- ચૈત્ર સુદ નોમથી તેરસ
સુધી કૃષ્ણ-રૂકમણીના લગ્ન સમારંભે આ મેળો પોરબંદરના માધવપુર વિસ્તારમાં ભરાય છે.
ü શામળાજીનો મેળો :- અરવલ્લી જિલ્લાના મેશ્વો નદીના કિનારે આવેલા તીર્થ શામળાજીમાં કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી મેળો ભરાય છે.
ü તરણેતરનો મેળો : સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં ત્રિનેત્ર મહાદેવના મંદીરે ભાદરવા સુદ ચોથ થી છઠ્ઠ સુધી આ મેળો ભરાય છે. જેમાં વિદેશના માણસો પણ આવે છે.
ü ભવનાથનો મેળો: મહાશિવરાત્રીના દિવસે ભરાતો મેળો જુનાગઢના ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવના મંદીરે મહાપુજા માટે લાખોની સંખ્યામાં લોકો આવે છે.
No comments:
Post a Comment